ગુજરાતી
સુવિચાર
* જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે, એ વ્યક્તિ સામે તમે ક્યારેય જીતી નથી શક્તા.
* અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*અહંકારને શૂન્ય
કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*જીવનમાં દુ:ખ આવે જ
નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે
તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને
વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે
*માનવી પાસેથી ઘણું
બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ વલણ પસંદ કરવાની
માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી.
*સુખી જીવનની
ફોર્મ્યુલા છે – જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ
અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી
માનસિક પીડાથી બચાવી લે છે.
*આત્મવિશ્વાસ, મનોબળ અને
સંકલ્પના ત્રણ તીર જેના ભાથામાં હોય એ માનસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે.
*લોઢું જેમ જેમ
ઘસાતું જાય છે તેમ તેમ કાટ ઉખડતો જાય છે ને ચકચકાટ વધતો જાય છે. એ જ રીતે
સ્વાર્થીપણાના કાટને લીધે નિસ્તેજ બનેલો માનવ જેમ જેમ બીજાના ભલા માટે ઘસાતો જાય
છે, તેમ તેમ કાટ કપાતો જાય છે, ને જીવન તેજસ્વી
બનતું જાય છે.
*તમારે સુખી થવું હોય
તો બે મંત્રનો જાપ કરો; ૧. મારે કાઈ જોઈતું નથી. ૨. મારો કોઈ દુશ્મન નથી.
*વિજ્ઞાનની શોધ વડે
માણસ પક્ષીની માફક આભમાં ઉડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી
તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી.
No comments:
Post a Comment
thanks for visiting.......